# Tags

બારડોલી સાંકરી સ્વામીનારાયણ મંદિર પરિસરમાં સાફ સફાઈ કરવામાં આવી

સુરતઃ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની લહેર આખા ગુજરાતમાં છવાઈ છે. આજરોજ જિલ્લામાં રવિવારે ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી.


જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન શેરી, મહોલ્લા, ગામ, શહેર શાળા, કોલેજ, બગીચા, તળાવ, રસ્તા, સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ સૌને સાથે જોડીને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો, સખીમંડળની બહેનો સાથે મળીને રોજબરોજ સ્વચ્છતાની પ્રવુત્તિઓ થઈ રહી છે. આજે બારડોલીના સાંકરી ખાતે ગ્રામજનો દ્વારા સાંકરી સ્વામિનારાયણ મંદિરના પરિસર તથા આસપાસના રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. આવો, સ્વચ્છ-નિર્મળ ગુજરાતના નિર્માણમાં આપણે સૌ જોડાઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *