# Tags

9 જુલાઈના રોજ દેશભરની બેંકો અને વીમા કંપનીઓ બંધ રહેશે: જાણો કારણ

9 જુલાઈના રોજ દેશભરની બેંકો અને વીમા કંપનીઓ બંધ રહેશે: જાણો કારણ

સુરત,આગામી 9 જુલાઈ, બુધવારના રોજ દેશભરની બેંકો અને વીમા કંપનીઓના કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. કેન્દ્ર સરકારની આર્થિક અને મજદૂર વિરોધી નીતિઓના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આયોજિત દેશવ્યાપી હડતાળમાં બેંક અને વીમા ક્ષેત્રના કર્મચારીઓ પણ જોડાવાના છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થશે.
શું છે હડતાળનું કારણ?

ટ્રેડ યુનિયનોનું કહેવું છે કે દેશભરમાં મજૂરોના અધિકારોનું દમન થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ પણ ઠીક નથી. આ મુદ્દાઓના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 9 જુલાઈના રોજ હડતાળનું આહ્વાન કર્યું છે. આ હડતાળને મજદૂર સંગઠનો, કિસાન સંગઠનો અને વિવિધ મહાગઠબંધનના સાથી દળોનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે.
બેંકિંગ અને વીમા ક્ષેત્ર પર અસર
બેંક કર્મચારીઓના એક સંગઠને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પણ આ હડતાળમાં સામેલ થશે. બંગાળ પ્રોવિન્શિયલ બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન, જે AIBEA સાથે જોડાયેલું છે, તેમણે આ અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર, AIBEA, AIBOA અને BEFI જેવા બેંકિંગ સેક્ટરના મુખ્ય ટ્રેડ યુનિયનોએ આ દેશવ્યાપી હડતાળમાં જોડાવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત, વીમા ક્ષેત્રે પણ આ હડતાળમાં જોડાવાનું નક્કી કર્યું છે. સંગઠનોનું માનવું છે કે બેંકિંગ અને અન્ય નાણાકીય ક્ષેત્રોમાં આ હડતાળ સંપૂર્ણપણે સફળ રહેશે, જેના કારણે 9 જુલાઈના રોજ બેંકિંગ સુવિધાઓ ઠપ્પ થઈ શકે છે.
ગ્રાહકોને અપીલ છે કે 9 જુલાઈના રોજ બેંક સંબંધિત કોઈ પણ કામકાજ હોય તો તે અગાઉથી જ પતાવી લે, જેથી તેમને અસુવિધા ન થાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *